ગુજરાત

અરવલ્લીના મેઘરજ ખાતે આન-બાન-શાન સાથે ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે જિલ્લા સમાહર્તા નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.

કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની એકતા અને અખંડિતાને ટકાવી રાખવામાં સંવિધાનનો મોટો ફાળો હોવાનું જણાવી દરેક નાગરીકને બંધારણમાંથી મળેલ મૂળભૂત ફરજો અને મૌલિક અધિકારોની સમજ આપી તેના દાયિત્વને નિભાવવા અરજ કરી હતી. વૈવિધ્યતાથી સમૃધ્ધ એવા દેશના નાગરિકો લોકશાહિને સાચવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. છેવાડાના માણસ સુધી સ્વરાજના ફળ પંહોચાડવા રાજ્યની આ સરકાર કામ કરી રહી હોવાનું ઉમેરી તેમણે લોકામિભુખ અને પારદર્શક વહિવટીનો અહેસાસ પ્રજાને થઇ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

કલેકટરએ વૈશ્વિક મહામારીમાં કોરોનાને મ્હાત આપવા સૌ લોકો એકજુટ બન્યા જેથી પરિસ્થતિને કાબુમાં લઇ શક્યા હોવાનું જણાવતા ઉમેર્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટીથી આરોગ્યક્ષેત્રે અસરકારક કદમ લેવાયા છે. તેમણે દેશના પ્રધાનમંત્રીશ્રીએ કોરોનાની મહામારી સામે મફત રસીકરણની શરૂઆત કરી અને સ્વદેશી રસીકરણની પહેલ કરી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાકાર કરી રહ્યા છે. જેમાં ગુજરાતે પણ સર્વાગી વિકાસ દિશામાં અગ્રેસર બની રહ્યા છે.

કલેકટર એ અરવલ્લી જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૩થી આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિકાસક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. શામળાજીના કાળીયા ઠાકોર અને બૌધ્ધની અમૂલ્ય વિરાસત ધરાવતા શ્રધ્ધાના કેન્દ્રો છે. આઝાદીકાળમાં અમૂલ્ય ફાળો આ જિલ્લાનો રહ્યો હોવાનું જણાવ્યું હતું.

જિલ્લામાં થયેલા વિકાસલક્ષી કામોની વાત કરતા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં રૂ.100 કરોડના ખર્ચે બનનારી નવીન સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ જીલ્લાના આરોગ્ય ક્ષેત્રના વિકાસને અલગ જ સ્તર પર લઈ જશે. આ હોસ્પિટલથી જીલ્લાની જનતા સહિત સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાનના લોકોને પણ લાભ મળશે.

અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) મોડાસા હસ્તકનાં ૧૯ રોડ અને સ્ટ્રક્ચરનાં કામો ૫૪.૯૩ કિમી લંબાઈના તથા ૧૪૧૩૪.૩૯ લાખની રકમના મંજુર થયેલ છે જે પૈકી ૩૦.૧૮ કિમી લંબાઈના ૧૮૧૦.૦૦ લાખ રકમના ૪ કામો પૂર્ણ કરવામાં આવ્યા, ૯.૩૫ કિમી લંબાઈનાં ૧૧૮૪.૯૬ લાખ રકમના ૩ કામો પ્રગતિ હેઠળ છે તથા ૧૨ કામો ટૂંક સમયમાં શરુ થનાર છે તેમ કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x