વાવોલ ખાતે શહેર ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો
શહેર ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ તા.૨૦ નવેમ્બર સોમવારના રોજ કમલાપુંજ લોન્સ, વાવોલ ખાતે યોજાઇ ગયો હતો જેમાં પ્રદેશ ભાજપના મંત્રી અને શહેર ભાજપ પ્રભારી શ્રીમતી નૌકબેન પ્રજાપતિ, પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત સૌએ પરસ્પર નૂતનવર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું. આ તકે પ્રસિદ્ધ કલાકાર માયારામ આહિરે તેઓની આગવી છટામાં મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ કરી હતી.