ગાંધીનગરગુજરાત

રાજ્યમાં લોક ડાઉન થવાની વાત અફવા : શ્રી પંકજ કુમાર અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ.

ગાંધીનગર :
રાજ્યમાં લોક ડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશીયલ મિડિયામાં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું છે કે આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકાર ની વિચારણા માં નથી. તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત માં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી જે કરફયૂ અમલમાં છે તે યથાવત રહેશે. આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોક ડાઉન કે કરફ્યુ ની બાબત પણ રાજ્ય સરકાર ની કોઈ વિચારણામાં નથી.

અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે સૌ નાગરિકો ને સોશીયલ મીડિયામાં ચાલતા આ સમાચાર થી ગેરમાર્ગે નહિ દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ પણ ના રાખવાની અપીલ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x