નાણાકીય છેતરપિંડીના દરેક કેસમાં સીબીઆઈની જરૂર નથીઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાણાકીય છેતરપિંડી સાથે જાડાયેલા મામલાની તપાસ કરવા માટે વિશેષ એજન્સીની જરૂરિયાત હોવા પર ભાર મુક્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ફાયનાÂન્સયલ ફ્રોડના તમામ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેÂસ્ટગેશન(સીબીઆઈ)ની જરૂર હોતી નથી. સુપ્રીમ કોર્ટે આ વાત એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન કહી છે, જેમાં કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયા પર આકરી કાર્યવાહી નહીં કરવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં એક એનજીઓ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટÙીયકૃત બેંકોથી લીધેલી લોન નહીં ચૂકવનાર મોટા કોર્પોરેટ જૂથો અને ઉદ્યોગપતિઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી. સાથે જ તેમની વિરુદ્ધ સીબીઆઈ તપાસની માગં કરાઈ હતી. આના પર જÂસ્ટસ સંજય કિશન કૌલ, જÂસ્ટસ અભય એસ ઓકા અને જÂસ્ટસ બીવી નાગરત્ને કહ્યું કે નાણાકીય છેતરપિંડીના તમામ મામલામાં સીબીઆઈને તપાસ સોંપવાની સલાહ આપવામાં આવતી નથી.
અરજી કરનાર તરફથી કોર્ટમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ અને પ્રણવ સચદેવે સીબીઆઈ તપાસની માંગ પર ભાર મૂક્યો હતો. પ્રશાંત ભૂષણે એ વાતને આધાર બનાવી હતી કે સરકાર રચિત સમિતિએ ખુદે જ ૫૦ કરોડ રૂપિયાથી વધુના ડિફોલ્ટ મામલામાં સીબીઆઈને લાવવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે ભલામણના આધાર પર ડિફોલ્ટરનો પાસપોર્ટ જપ્ત થવો જાઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જાઈએ. સુનાવણી દરમિયાન રિઝર્વ બેંકે તર્ક આપ્યો કે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને પાસપોર્ટનો મામલો સરકારના ક્ષેત્રમાં આવે છે અને તેમના તરફથી કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. આના પર સુપ્રીમ કોર્ટની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જવાબ દાખલ કરવા કહ્યું છે.