ગુજરાતરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા 50 ગુજરાતીઓ સુરક્ષિત

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને વાવાઝોડાના લીધે રામબન પાસે ભૂસ્ખલન થયું હતું. આ કુદરતી આફતમાં 50 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હતા. આ પ્રવાસીઓમાં ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 લોકો હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સમાચાર મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ગુજરાત પોલીસે જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે વાત કરીને તમામ ગુજરાતી પ્રવાસીઓની સલામતીની ખાતરી કરી હતી. પ્રવાસીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને આવતીકાલે બસ દ્વારા સુરક્ષિત રીતે બનિહાલ મોકલવામાં આવશે. બનાસકાંઠાના કલેક્ટરે પણ સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી મદદની ખાતરી આપી છે. સદનસીબે, તમામ ગુજરાતી પ્રવાસીઓ હાલમાં સુરક્ષિત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x