અમદાવાદ: વડાપ્રધાનના રોડ શોને લઈને ટ્રાફિક પોલીસની માર્ગદર્શિકા જાહેર
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી રોડ શોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. અમદાવાદથી ગાંધીનગર અવર-જવર કરતા નાગરિકોને બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવ્યું છે.
વૈકલ્પિક માર્ગો:
- સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ.
- ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે.
જે પ્રવાસીઓની ફ્લાઇટ સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે છે, તેમને પોતાના ઘરેથી રોજિંદા સમય કરતાં બે કલાક વહેલા નીકળવાનું આયોજન કરવા જણાવાયું છે. ફ્લાઈટની ટિકિટ કોઈ પોલીસ જવાન માંગે ત્યારે બતાવવી જેથી એરપોર્ટ પહોંચવામાં સરળતા રહે. આ માર્ગદર્શિકાનો હેતુ વડાપ્રધાનના રોડ શો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવાનો અને નાગરિકોને અગવડ ન પડે તેની ખાતરી કરવાનો છે.