ગાંધીનગર

પરમ -તત્વ પરમાત્મા પુસ્તક કે મંદિરમાં નહીં પણ અંતર મનમા છે

Himalay ધ્યાન યોગ ગાંધીનગર દ્વારા ગુરૂકથાનું આયોજન ગુરુ કથાકાર શ્રી મોહિતભાઈ ની ભાવ પૂર્ણ શૈલી મા ત્રિદિવસીય “ગુરૂકથા “નું થયેલ સમાપન

ગુરુશક્તિઓ ની ઇચ્છા અને આશીર્વાદથી, ગુરુઓએ ગાંધીનગરના આધ્યાત્મિક માર્ગની શોધમાં રહેલા તમામ ખોજી આત્માઓએ લીધેલ ‘ગુરુકથા’નો લાભ

તા.૨૦-૦૬-૨૦૨૫થી બલરામ મંદિર, સેક્ટર-૧૨માં સાંજે ૭-૦૦ થી ૯-૦૦ સુધી શરૂ થતી ત્રી દિવસીય હિમાલયન ધ્યાનયોગ શિબિરમાં પ્રેમથી પધારવા નિમંત્રણ છે.

હિમાલયન ધ્યાનયોગ ગાંધીનગરમા ગુરુશક્તિની ઇચ્છા અને આશીર્વાદથી, ગુરુઓએ ગાંધીનગરના આધ્યાત્મિક માર્ગની શોધમાં રહેલા તમામ આત્માઓ માટે કર્યું છે ‘ગુરુકથા’નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું.

ગુરુ કથાકાર શ્રી મોહિતભાઈની ભાવ પૂર્ણ શૈલીમા તા. ૧૩-૦૬-૨૦૨૫થી તા. ૧૫-૦૬-૨૦૨૫ સુધીની ત્રિદિવસીય “ગુરુકથા” ર્ડા. આંબેડકર હોલ, સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે સમાપન થયેલ છે.

જીવંત સદગુરુના દિવ્ય અનુભવોનો મહિમા એટલે ગુરુકથા, અને ગુરુકૃપા આપણા જીવનમાં શું બદલાવ લાવી શકે સદગુરુના સાનિધ્યનું શું મહત્વ છે આ બધું જ અનુભૂતિ દ્વારા જ સમજી શકાય છે એ જ અનુભૂતિ સૌ જીગ્નાસુઓ માટે તદ્દન નિઃશુલ્ક ગુરુ કથાકાર શ્રી મોહિતભાઈએ સૌને કરાવી.

ગુરુ કથાકાર શ્રી મોહિતભાઈએ જણાવ્યું હતું કે,” આપણી આત્મા માટે એક આધ્યાત્મિક પ્રગતિનો ઉત્સવ છે તો સૌ તેમાં સહભાગી થઈએ. આજના સમયમાં સહન શક્તિ ખુબજ ઘટી ગઇ છે. તેમાં કેવી રીતે અત્યારના સમયમાં સંતુલિત રહેવું, ધ્યાન અને ગુરુ નું મહત્વ, સિંહ અને ગાય નું ઉદાહરણ ટાંકી મનમાં કિચડ રૂપી નિર્માણ પામેલ બીજનું નિવારણ કરવા- તનાવ દૂર કરવા, જીવન જીવવા ધ્યાનયોગ ગુરુનું મહત્વ, દરેક વ્યક્તિએ આત્મ સાક્ષાત્કારની કામના કરવી. જીવન જીવી રહ્યો છું પણ તેનો ઉદ્રેશ શું? તે ઉદ્દેશ્યનો માર્ગ સાકાર કરવો જોઈએ, જીવનનો આનંદ આજમાં છે, કાલમાં નથી માટે ખુલીને જીવી લો, પરમાત્મા વિસર્જનની સાથે સર્જન પણ કરે છે. કોરોના કાળે માનવ જાતે આધ્યાત્મિક પ્રગતિના માર્ગ પર લાવ્યું છે. મહુડી પાસે આવેલ સમર્પણ આશ્રમમાં ગુરુશક્તિઓ બીરાજમાન છે. જ્યાં ધ્યાનનો લાભ લેવો જોઈએ. આત્માને જાગૃત કરવા આત્મ સાક્ષાત્કાર રૂપી પ્રક્રિયા કરીને સદ્ગુરુ ઉર્જા આપે છે. હિમાલયના ગુરુઓ દ્વારા આગામી ૮૦૦ વર્ષનું આયોજન, ૭૨ દેશમાં મેડિટેશન અને છેલ્લા ૨૫ વર્ષમાં ૮ દેશમાં અને ૭ વિદેશમાં ધ્યાનયોગ માટેના આશ્રમ છે. છેલ્લા દિવસે ધ્યાનમાં બેસવાની વિધિનું પ્રેક્ટીકલ કરાવ્યું હતું. “

દરમ્યાન જૈનેશ ભાઈ અને ચંદ્રેશભાઈએ સૌને માહિતગાર કરી આગામી ધ્યાન શિબિર તા.૨૦-૦૬-૨૦૨૫થી બલરામ મંદિર, સેક્ટર-૧૨માં સાંજે ૭-૦૦ થી ૯-૦૦ સુધી શરૂ થતી ત્રી દિવસીય હિમાલયન ધ્યાનયોગ શિબિરમાં પ્રેમથી પધારવા નિમંત્રણ આપી આભાર દર્શન કર્યું હતું. ગુરુ કથાકાર શ્રી મોહિતભાઈનું સન્માન શ્રી રમેશભાઈ અને મયુરભાઈ દ્વારા કરાયું હતું .

હિમાલયન ધ્યાનયોગ ગાંધીનગર સેન્ટરના આચાર્ય શ્રી હેમાલીબેન ઓઝા અને શ્રી રોમેશભાઈ ગુંજાલ જણાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *