ગુજરાત

કે.એમ. પટેલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં ઝળહળતો દેખાવ

ઈડર: ઈડર સ્થિત કે.એમ. પટેલ વિદ્યામંદિરમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આયોજિત ૧૪મી રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. “વિશ્વ શાંતિ કા આધાર શાકાહાર કી આવશ્યકતા” વિષય પર યોજાયેલી આ સ્પર્ધામાં શાળાના કુલ ૫૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૧૯ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ ૧૯ વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય સંયોજક ચંદ્રકલાબેન શાહના હસ્તે પ્રમાણપત્ર અને પર્સ ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા જાગૃતિબેન વણકર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

શાળાના ઇન્ચાર્જ આચાર્ય પી.કે. પટેલ અને સુપરવાઇઝર એ.જી. મોમીને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ, તત્કાલીન આચાર્ય કિરણભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને આ સ્પર્ધા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેના પરિણામે વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ હાંસલ કરી. આ દેખાવ શાળા માટે ગર્વનો વિષય બન્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *