વડનગરમાં રાજ્ય કક્ષા યોગ દિવસની ઉજવણી: CM ભૂપેન્દ્ર પટેલ બન્યા સહભાગી
વડનગર: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં હાજરી આપી હતી. વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી લોકો સાથે સામૂહિક યોગ ક્રિયામાં જોડાઈને યોગાસનો કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” વિશે માહિતી આપી હતી. તેમણે યોગના વૈશ્વિક મહત્વ અને સમુદાયિક સ્વાસ્થ્ય માટે તેની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. CMની ઉપસ્થિતિએ યોગ પ્રત્યે જાગૃતિ અને સામૂહિક ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા, જે યોગના વધતા વ્યાપ અને લોકપ્રિયતા દર્શાવે છે.