વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ દ્વારા વિશ્વ યોગ દિનની ખૂબજ ઉત્સાહભેર અને ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી
આ ઉજવણીમાં શાળા તરફથી એક નવતર પ્રયોગ કરી શિક્ષણના ધ્યેયને ને સાર્થક કરવામાં એક પગથિયું ભરવામાં આવ્યું જેમાં શાળાના નર્સરીથી માંડીને ધોરણ 2 સુધીના તમામ વિદ્યાર્થીઓએ અને તેમની માતાઓ એ યોગકાર્ય માં ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો. બીજી તરફ શાળાનાં ધોરણ ૩થી માંડીને ધોરણ ૧૨સુધીનાં તમામ વિધાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એ યોગ કાર્યમાં ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો અને યોગ કર્યા હતાં.
આ ખાસ દિને મુખ્ય મહેમાન તરીકે પ્રજ્ઞાબેન આવ્યા હતા જેમણે યોગ વિશે અને તેના મહત્વ વિશે વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા અને તેમને સમજૂતી આપી હતી. વિશ્વ યોગ દિન નિમિત્તે શાળામાં વિવિધ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ દિવસ નિમિત્તે યોગ એટલે શું? ભારત નું વિશ્વને યોગ ક્ષેત્ર માં પ્રદાન, તેનું આરોગ્ય ક્ષેત્રે મહત્વ વગેરે ની ખુબ જ પ્રેરણાત્મક અને જરૂરી એવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. શાળાના વ્યાયામ નાં શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના યોગ,આસન, પ્રાણાયામ અને ધ્યાન વગેરેની ખૂબ જ ચીવટ પૂર્વક અને શાંતિ થી તૈયારી કરાવવામાં આવી હતી.જેમાં વજ્રાસન ,પદ્માસન, સૂર્યનમસ્કાર મયૂરાસન વગેરે આસનો,કપાલભાતિ,ભ્રામરી અને શિતલી વગેરે પ્રાણાયામ અને ધ્યાન ,ધ્યાન નાં અંગો યમ નિયમ આસન સમાધિ વગેરે ની પ્રયોગીક સુંદર માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનયનસર દ્વારા કરવામં આવ્યું હતું અને આયોજન અને દેખરેખ શાળાના તમામ ટ્રસ્ટીઓશ્રીઓ અને શાળાના આચાર્યા શ્રી જયાબેન ધીરમલાની ના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. અંતે, આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ સ્ટાફ મિત્રો અને સહાયકોએ ખૂબ જ મહેનત અને જહમત ઉઠાવી હતી.