હવે ખેડૂતોને સરકાર આપશે 1 લાખનું ઈનામ, જાણો કેવી રીતે લેશો લાભ
ગાંધીનગર: ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે નવીનતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે “સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના” અમલમાં મૂકી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવાનો છે, જેમણે પોતાની આગવી કોઠાસૂઝ અને નવીન પ્રયોગો દ્વારા ખેતીમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. આવા ખેડૂતોને રૂ. ૧.૦૦ લાખ સુધીનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. અરજી માટેનું નિયત નમૂનાનું ફોર્મ ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ખેડૂતોને આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલા જિલ્લા ખેતીવાડી અધિકારીનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. આ પહેલથી રાજ્યના કૃષિ વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.