રાષ્ટ્રીય

5 ઓગસ્ટની અટકળો પર J&Kના CM ઉમર અબ્દુલ્લાહની સ્પષ્ટતા

5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, જેના કારણે આ તારીખ ખાસ બની ગઈ છે. આ વર્ષે ફરીથી, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરના પૂર્ણ રાજ્યના દરજ્જા અંગે કોઈ મોટી જાહેરાત થવાની વાતો સોશિયલ મીડિયા પર વાઇરલ (viral) થઈ હતી. જોકે, આ મામલે હવે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે પોતાની પોસ્ટ દ્વારા સસ્પેન્સનો અંત લાવી દીધો છે.

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે X પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું કે, “મેં જમ્મુ-કાશ્મીરને લગતી તમામ સંભાવનાઓ વિશે સાંભળ્યું. સારા સમાચાર એ છે કે કોઈ ખરાબ ઘટના બનવાની નથી, અને ખરાબ સમાચાર એ છે કે કોઈ સકારાત્મક અનાઉન્સમેન્ટ (announcement) પણ થવાની નથી.” તેમણે ઉમેર્યું કે તેઓ હજુ પણ ચોમાસુ સત્રમાં કોઈ સારા નિર્ણયની અપેક્ષા રાખે છે, પરંતુ 5 ઓગસ્ટના દિવસે જ કંઈક થશે તેવી તેમને શ્રદ્ધા નથી. ઉમર અબ્દુલ્લાહે સ્પષ્ટતા કરી કે તેમની કોઈ દિલ્હીના નેતાઓ સાથે મુલાકાત થઈ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ આ પ્રકારની અટકળોને વેગ મળ્યો હતો, પરંતુ હવે મુખ્યમંત્રીના આ નિવેદનથી તમામ રુમર્સ (rumours) પર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો. ત્યારથી, રાજ્યના દરજ્જાની માંગ સતત ચાલુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *