ગાંધીનગર જિલ્લામાં કુલ 07 ડમ્પર વાહનોની આશરે 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વર્ઝન અને સંગ્રહની રાઉન્ડ ધ ક્લોલ રોડ ચેકિંગ અન્વયેની કામગીરી દરમ્યાન ક્ષેત્રિય ટીમ દ્વારા રોયલ્ટી પાસ વગર તથા રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ગેરકાયદેસર ખનિજ ભરી વાન કરતા કુલ ૦૨, રોયલ્ટી પાસ વગર તથા ૦૫ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા કુલ-૦૭ ડમ્પર વાહનો પકડી વાળનો પકડવામાં આવેલ જેમાં આશરે ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે, જે જપ્ત કરેલા વાહનોની વિગતો મુજબ મોજે.રિલાયન્સ સર્કલ, તા. જી.ગાંધીનગર રોડ પરથી (૧) વાહન ડમ્પર નં.GJ-38-TA-9704 ના વાહન માલિક અજયસિંહ દ્વારા સાદીમાટી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ. મોજે.મહાત્મા મંદિર, તા. જી.ગાંધીનગર રોડ પરથી (૨) વાહન ડમ્પર નં.DD-02-G-9418 ના વાહન માલિક ચિરાગભાઈ બલોચીયા દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ. મોજે.અડાલજ-કોબા, તા. જી.ગાંધીનગર રોડ પરથી (૩) વાહન ડમ્પર નં. GJ-24-X-4943 ના વાહન માલિક હિરેન પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ. મોજે.ટીટોડા, તા. જી.ગાંધીનગર રોડ પરથી (૪) વાહન ડમ્પર નં.GJ-38-T-4489 ના વાહન માલિક સમીરભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા પકડવામાં આવેલ. મોજે.ધેંધુ, તા.કલોલ, જી.ગાંધીનગર ધેધુ ચોકડી પરથી (૫) વાહન ડમ્પર નં.GJ-02-BT-6581 ના વાહન માલિક સંજય પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા સબબ અને મોજે.નાસ્મેદ, તા.કલોલ, જી.ગાંધીનગર રોડ પરથી (૬) વાહન ડમ્પર નં.GJ-01-LT-7229 ના વાહન માલિક ભગાજી વણઝારા દ્વારા સાદીમાટી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ મોજે.જાસપુર, તા.કલોલ, જી.ગાંધીનગર રોડ પરથી (૭) વાહન ડમ્પર નં. GJ-24-X-7001 ના વાહન માલિક ધનજી શંકરભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવ્યા.
આમ, અત્રેની ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા છેલ્લા ૦૧ અઠવાડિયામાં ગાંધીનગર જીલ્લાના કલોલ, વલાદ, લવારપુર, ટીટોડા, જાસપુર, શેરથા, અડાલજ, ધેંધુ, નારદીપુર, નાસ્મેદ તથા ગાંધીનગર વગેરે વિસ્તારમાં ખાસ ઝુંબેશ અન્વયે ખનીજોનું બિનઅધિકૃત વહન કરતા કુલ ૩૭ કેસોનો કુલ અંદાજે ૧૧.૧૦ કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી વાહનોનાં માલિકો પાસેથી ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ કુલ ૪૫.૫૦ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવેલ તથા ૦૭ કેસોની દંડકીય રકમ રૂ. ૧૮.૫૯ લાખ વસુલાત અંગેની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આમ, કુલ ૬૪.૦૯ લાખની સરકારશ્રીની તિજોરીની મહેસુલી આવક થશે.

