ગાંધીનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરશ્રી ઐશ્વર્યાસિંઘે સમીક્ષા કરી
હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટે નિયુક્ત સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર તથા ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ અને મેનેજીંગ ડિરેકટર શ્રી ઐશ્વર્યાસિંઘના અધ્યક્ષસ્થાને તા.૦૬/૦૨/૨૦૨૬ના રોજ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સમીક્ષા બેઠકમાં ગાંધીનગર જિલ્લા તથા બનાસકાંઠા, અમદાવાદ, ડાંગ અને સુરત જિલ્લાની હાલની SIR અંગેની કામગીરી સંબંધે ગાંધીનગર કલેકટર કચેરીથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરશ્રીએ તમામ જિલ્લાઓ સાથે વન ટુ વન સમીક્ષા કરી, જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમણે આ સંપૂર્ણ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે કલેકટર શ્રી મેહુલ દવે, નાયબ ચૂંટણી અધિકારી શ્રી જય પટેલ વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

