જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-૬ પ્રવેશ પરીક્ષા ૨૦૨૭ માટે અરજી કરવાની મુદ્દતમાં થયો વધારો
ગાંધીનગર તા.૦૪ જુલાઈ –
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માં પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, સામેત્રીમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે યોજાનારી પ્રવેશ પસંદગી પરીક્ષા સંબંધિત ઓનલાઈન અરજી કરવાની મુદતમાં જાહેર હિતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે તા. ૦૭ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
ધોરણ-૬ માં પ્રવેશ માટેની પસંદગી પરીક્ષા ૨૮ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાશે. જેમાં ગાંધીનગર જિલ્લાની સરકારી અથવા સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાં વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે.
ઓનલાઈન અરજી કરવા માટેની લિંક/વેબસાઈટ https://cbseitms.rcil.gov.in/nvs અને અન્ય તમામ વધુ માહિતી માટે નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઈટ https://navodaya.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓને સમયસર ઓનલાઈન ફોર્મ ભરી આ સુવર્ણ તકનો લાભ લેવા પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, સામેત્રી(દહેગામ)ના આચાર્યશ્રીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

