ગાંધીનગર

શ્રી મહાકાળી માતાજીના મંદિરે મહા આરતી સાથે ‘શ્રી મહાકાળી મહાપ્રસાદ સેવા કેન્દ્ર’નો પ્રારંભ

ગાંધીનગર: અંબાજી ભાદરવી પૂનમના પાવન મેળામાં માતાજીના દર્શનાર્થે નીકળેલા હજારો પદયાત્રીઓ ગાંધીનગરના રાજમાર્ગો પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગાંધીનગર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. પદયાત્રીઓની સેવા માટે ગાંધીનગર અને આસપાસના માર્ગો પર વિવિધ સેવા કેન્દ્રો ધમધમી રહ્યા છે. ત્યારે ગાંધીનગર વકીલ મિત્ર મંડળ દ્વારા પણ પદયાત્રીઓની સેવા માટે વિશેષ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર–રાંધેજા હાઈવે પર બંસરી એપાર્ટમેન્ટ સામે આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિરે ‘શ્રી મહાકાળી મહાપ્રસાદ સેવા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. ગુરુવાર, તા. 17-09-2026ના રોજ સાંજે 7:00 કલાકે શ્રી મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય મહા આરતી યોજાયા બાદ આ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. 17, 18, 19 અને 20 સપ્ટેમ્બર એમ ચાર દિવસ સુધી પદયાત્રીઓ માટે 24 કલાક મહાપ્રસાદ સહિતની સેવા ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ડૉ. ગીતાશ્રીજી (શ્રી પંચાયતી નિર્મલ અખાડા) તેમજ મહંત સાધ્વી કૃષ્ણાગીરીમાતાજી, પ્રાચીન શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર, ગ્રામભારતી, અમરાપુર ગામ સહિતના સંતશ્રીઓની ઉપસ્થિતિ રહી હતી. સંતશ્રીઓના આશીર્વાદ અને મહા આરતીથી સમગ્ર કાર્યક્રમ ભક્તિમય બની ગયો હતો.

સેવા કેન્દ્રના પ્રારંભ પ્રસંગે શ્રી શંકરસિંહજી રાણા, એડવોકેટ, મણેકપુર, ગાંધીનગર તથા પૂર્વ પ્રમુખ, ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ, શ્રી વિજયભાઈ ડી. ત્રિવેદી, એડવોકેટ, ચાંદખેડા, શ્રી બી. આર. શર્મા, એડવોકેટ એન્ડ નોટરી, ડૉ. શ્રી અશોક વી. ત્રિવેદી, એડવોકેટ એન્ડ નોટરી તથા પૂર્વ પ્રમુખ, ગુજરાત બાર કાઉન્સિલ, શ્રી અતુલભાઈ કે. પંડ્યા, એડવોકેટ, પૂર્વ કોર્પોરેટર, લીગલ સેલ, ગાંધીનગર મહાનગર, શ્રી રવિ અનુપભાઈ પંડ્યા, એડવોકેટ, શ્રી ઘનશ્યામસિંહ ધૂળસિંહ ચૌહાણ, એડવોકેટ એન્ડ નોટરી, શ્રી ગૌરાંગભાઈ એમ. પટેલ, એડવોકેટ, શ્રી યોગેશભાઈ ભીખાભાઈ નાયી, એડવોકેટ એન્ડ નોટરી, શ્રી પ્રકાશ પી. પટેલ, એડવોકેટ, ગાંધીનગર, શ્રી અશોકભાઈ એસ. મહેતા, એડવોકેટ એન્ડ નોટરી, શ્રી નિલેશ આર. પંડ્યા, એડવોકેટ એન્ડ નોટરી, શ્રી દિલીપસિંહ સી. ગોહિલ, એડવોકેટ એન્ડ નોટરી, શ્રી વિજયસિંહ કે. ગોહિલ, એડવોકેટ, શ્રી ભરતભાઈ સી. તલવાડી, એડવોકેટ સહિતના વકીલશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત શ્રી રવિ દિનેશભાઈ ઉર્ફે વિકીભાઈ પટેલ, સારંગ ડેવલપર્સ, ખોરજ, શ્રી કરણસિંહ બી. વાઘેલા, મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા પૂર્વ વાઇસ ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ડૉ. શ્રી હિમાંશુ વિઠ્ઠલભાઈ પટેલ, એડવોકેટ, પૂર્વ ચેરમેન, ગાંધીનગર બાર એસોસિએશન, શ્રી આર. કે. પટેલ, એડવોકેટ, પૂર્વ પ્રમુખશ્રી, ગાંધીનગર બાર એસોસિએશન, શ્રી અશ્વિનભાઈ જે. જાની (વકીલ), અમદાવાદ, શ્રી અમૃતજી બી. ઠાકોર, એડવોકેટ એન્ડ નોટરી (પ્રાંતિજ), શ્રી નિખિલભાઈ હિમનલાલ પટેલ (લિન્કર, ચાંદખેડા), શ્રી નરેશસિંહ ચૌહાણ (ગંધાભાઈ), સરદાર ગ્રુપ, શ્રી જયદીપસિંહ વી. વાઘેલા, એડવોકેટ (પેથાપુર), શ્રી રાકેશભાઈ એલ. પટેલ, સરકારી વકીલ (કલોલ), શ્રી તરુણભાઈ સંતરામભાઈ વર્મા, સ્વાગત ગ્રુપ (બિલ્ડર), શ્રી વિરેનસિંહ કે. ચૌહાણ, એડવોકેટ એન્ડ નોટરી (હડક : બાલાસિનોર નગર પાલિકા), શ્રી જીતેન્દ્ર એલ. દેસાઈ, એડવોકેટ એન્ડ નોટરી, શ્રી રાજેન્દ્રસિંહ રાવલ, એડવોકેટ એન્ડ નોટરી (સાંખડ), શ્રી સંજય એમ. પટેલ, એડવોકેટ, ગાંધીનગર, શ્રી પ્રવિણસિંહ ઈશ્વરસિંહ વાઘેલા, ગાંધીનગર, શ્રી મુકુલભાઈ બ્રહ્મભટ્ટ, સેક્ટર-6, શ્રી ઉમંગ અમૃતભાઈ પટેલ, એડવોકેટ તથા શ્રી રવિશકુમાર ભીમરાજભાઈ એડવોકેટ સહિતના આગેવાનો અને વકીલશ્રીઓએ પણ ઉપસ્થિતિ આપી હતી.

આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે પ્રદીપસિંહ પી. વાઘેલા, એડવોકેટ, વિધા લાયબ્રેરી, શંકરસિંહ એસ. ગોહિલ, પ્રમુખ, બાર એસોસિએશન, ગાંધીનગર, ધર્મેન્દ્રસિંહ રાવલ, એડવોકેટ, પૂર્વ પ્રમુખ, બાર એસોસિએશન, તેમજ લાલસિંહ ગોહિલ, પ્રમુખ, ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન સહિતના આગેવાનો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

પદયાત્રીઓની સેવા માટે મહાપ્રસાદ સેવા કેન્દ્રની વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે વકીલ મિત્ર મંડળના કાર્યકર્તાઓ તથા સેવાભાવી આગેવાનોએ સતત જહેમત ઉઠાવી હતી. સમગ્ર સેવાયજ્ઞમાં સહયોગ આપનાર તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો.

સેવા કેન્દ્રમાં તા. 17 થી 20 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પદયાત્રીઓ માટે 24 કલાક મહાપ્રસાદ અને મિનરલ વોટર સેવા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત લાઇટ સેવા, સાઉન્ડ સેવા, શૌચાલય સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પદયાત્રીઓની સુવિધા અને આરામને ધ્યાનમાં રાખીને સેવાભાવી કાર્યકરો દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

સેવા કેન્દ્ર દરમિયાન વિવિધ દિવસોમાં ગરબાના કાર્યક્રમો અને જાણીતા ગાયક કલાકારોના કાર્યક્રમો પણ યોજાશે. તા. 17 સપ્ટેમ્બરના રોજ શ્રી જયદીપ પ્રજાપતિ (જે.ડી.) તથા રમેશભાઈ પ્રજાપતિ (ભાણાભાઈ), તા. 18 સપ્ટેમ્બરના રોજ વિપુલભાઈ પંચાલવાળા, પંચમ ગ્રુપ તથા ગાયક કલાકારો દર્શના વ્યાસ અને પ્રવિણસિંહ, તા. 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગાયક શ્રી પ્રકાશભાઈ રાઠોડ, ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગાયક શ્રી હરસોલભાઈ રાવલ તથા ગાયક કલાકાર કેમ્પલ પારેખ, જ્યારે તા. 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગાયક શ્રી રત્નસિંહજી વાઘેલા સહિતના કલાકારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ રીતે ગાંધીનગર વકીલ મિત્ર મંડળ દ્વારા શરૂ કરાયેલું શ્રી મહાકાળી મહાપ્રસાદ સેવા કેન્દ્ર ભક્તિ, સેવા અને માનવતાનો સુંદર સંગમ બની રહ્યું છે. અંબાજી તરફ પગપાળા આગળ વધી રહેલા પદયાત્રીઓ માટે માર્ગમાં મળતી આ સેવા થાકેલી વેળાએ રાહત અને આત્મીયતાનો અનુભવ કરાવી રહી છે. સેવા કેન્દ્રના આયોજનમાં જોડાયેલા વકીલશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ અને સેવાભાવી લોકોની મહેનતથી ગાંધીનગરમાં પદયાત્રીઓની સેવા માટે એક સુંદર સેવાયજ્ઞનું નિર્માણ થયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *