ગાંધીનગરગુજરાત

કોરોના માટે આવ્યા સારા સમાચાર, રાજ્યમાં ફક્ત 123 કેસ નોંધાયા

ગાંધીનગર :

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત ચોજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા હતા. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 123 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા.

ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત ચોજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા હતા. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 123 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા.

હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4116 છે. જેમાંથી 38 લોકો વેન્ટિલેટર પર છે. 4078 લોકોની હાલત સ્થિર છે. 808849 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 10045 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.28 ટકા થયો છે.

કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશનમાં 14, સુરત 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, વલસાડ 6, બનાસકાંઠા 5, ગીર સોમનાથ 5, અમરેલી 3, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 3, વડોદરા 3, આણંદ 2, ગાંધીનગર 2, જામનગર 2, જુનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, રાજકોટ 2, અરવલ્લી 1, ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, નર્મદા 1, નવસારી 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1 કેસ નોંધાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x