ગુજરાત

PM Modi આવશે ગુજરાતના પ્રવાસે, કરી શકે છે આ બે મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ

પીએમ મોદી(PM Modi ) રથયાત્રા બાદ એક દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. જેમાં તે બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે. જેમાં પીએમ મોદી  ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલી હોટલને ખુલ્લી મૂકશે. તેમજ સાયન્સ સીટી ખાતે તૈયાર કરવામાં આવેલા એક્વિરિયમનું ઉદ્ઘાટન કરી શકે છે.તેમજ આ લોકાર્પણ વર્ચ્યુયલ રીતે કરવામાં આવી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોકાર્પણ 16 જુલાઇના રોજ થઈ શકે છે. જો કે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમજ આ બંને પ્રોજેક્ટના કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પણ વહીવટીતંત્રને સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x