ગુજરાત

રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાનીનું આજે ભાવનગર ખાતે નિધન

ભાવનગરઃ
રાજ્યના કોંગ્રેસ પક્ષના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાનીનું ભાવનગર ખાતે નિધન થયું છે. 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર હતા. 1985માં મહુવા બેઠક પર તેઓ વિજેતા બન્યા હતા. મહુવાનાં ધારાસભ્ય તરીકે અને મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને અમરશીભાઈ ચૌધરી મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સેવા આપેલ તેમજ માધવસિંહ સોલંકીની સરકારમાં તેઓ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નિષ્ક્રિય હતા. મહુવા તાલુકાના બોરડી ગામના રહેવાસી છે. તેઓનું આજે ભાવનગરના ચિત્રા મોક્ષધામ ખાતે તેમની અંતિમવિધિ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x