ગાંધીનગર

નેહરુ યુવા કેન્દ્ર-ગાંધીનગર દ્ધારા જિલ્લા કક્ષાના યુવા સંવાદ ૨૦૪૭ તેમજ યુવા મહોત્સવ ૨૦૨૨ની ઉજવણી

નેહરુ યુવા કેન્દ્ર-ગાંધીનગર દ્ધારા જિલ્લા કક્ષાના યુવા સંવાદ તેમજ યુવા મહોત્સવ ૨૦૨૨ની ઉજવણી માણસા તાલુકાના નવનિર્મિત સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવેલ હતી. જેમાં મુખ્ય અતિથિ વિશેષ શ્રી રત્નાકર સુનિરવાલ,શ્રી ડી.ડી.પટેલ,પુર્વચેરમેન,પોલિસ આવાસ નિગમ,ગુજરાત, શ્રી સંજીવભાઈ મહેતા, રાષ્ટ્રીય યુવા પુરસ્કૃત, સદસ્ય વિદેશ પ્રભાગ,શ્રી રજનીકાંત સુથાર,લોકપાલ મનરેગા ગ્રામ વિકાસ યોજન, સાબરકાંઠા, સેવાનુરાગી,અનિલભાઇ પટેલ, પ્રમુખ, ભા.જ.પા,ગાંધીનગર,શ્રી દિનેશભાઈ વ્યાસ, કૈલાસબેન પટેલ,પ્રમુખ માણસા નગરપાલિકા અન્ય કોર્પોરેટર તેમજ ગાંધીનગર જિલ્લા ના અન્ય યુવાનોએ ઉત્સાહ પુર્વક ભાગ લિધો હતો. આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, કવિતા લેખન સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા તેમજ યુવા સંવાદ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતે તમામ વિજેતા ને સર્ટિફિકેટ તેમજ ટ્રોફિ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x