PM નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું નિધન, મોદી અમદાવાદ આવવા થયા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીનું નિધન થયું છે. વડાપ્રધાને ખુદ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. જણાવવું રહ્યું કે બુધવારે વહેલી સવારે તેમની છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ યુ.એન. મહેતામાં એડમિટ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હીરાબા મોદી આજે વહેલી સવારે 3.30 વાગે સારવાર દરમિયાન દેવલોક પામ્યા. હીરા બા યુ.એન.મેહતા હોસ્પિટલ ખાતે દાખલ હતા અને ત્યાંજ તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ દ્વારા આ અંગે સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામા આવી હતી. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યુ છે કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે. મામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.