ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં પ્રથમવાર શ્રી હનુમાન ચાલીસાનો ભવ્ય શુભારંભ, વિવિધ વેશભૂષામાં ઉપસ્થિત લોકોએ આકર્ષણ જમાવ્યું

ગાંધીનગરમાં પ્રથમવાર યોજાઈ રહેલી શ્રી હનુમાન ચાલીસાનો ભવ્યતાતીંત શુભારંભ થયો હતો. આ પ્રસંગે નીકળેલી ભવ્ય પોથીયાત્રામાં ઘણી મોટી સંખ્યામાં ભક્તિભાવથી ઉમટી પડેલા ભક્તો સહિત વિવિધ વેશભૂષામાં ઉપસ્થિત લોકોએ આકર્ષણ જમાવ્યું હતું. ગાંધીનગરમાં પ્રથમવાર શ્રી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હનુમાન ચાલીસા કથા ૫ થી ૧૧ જાન્યુઆરીએ રાત્રે ૮.૩૦ થી ૧૧ કલાક સુધી કુડાસણમાં રિલાયન્સ ચોકડી પાસે કાનમ પાર્ટી પ્લોટમાં યોજાશે.

શ્રી હનુમાન ચાલીસા કથાનું શ્રી કષ્ટભંજનદેવ મંદિર, સારંગપુરનાં મહંત સ્વામી પૂ. હરીક્રુષ્ણદાસજી સ્વામીનાં વ્યાસ પીઠે રસપાન કરાવાશે. આ પ્રસંગે ૫ જાન્યુઆરીંએ સાંજે ૪ કલાકે રાધે હોમ્સમાંથી પોથિયાત્રા નીકળી કથાના સ્થળે પહોંચશે. જ્યાં ૮.૩૦થી કથા પ્રારંભ થશે. આ મહોત્સવ દરમિયાન ૭ મીએ હનુમાન જન્મોત્સવ અને અન્નકૂટ યોજાશે. આ સાથે બાલ પ્રભુ વેશભૂષા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભારંભ પહેલા સાંજે સાડા સાત વાગ્યાથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ સંતોએ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. જ્યારે સ્વામીજી ધ્વારા કથાનાં રસપાન અગાઉ ગ્રુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે કથાનો સૌ ભાવિકોને ૧૧ જાન્યુઆરી સુધી ભક્તિભાવથી લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x