વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના પિતા ધીરૂભાઇનું મંગળવારે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. આજે બપોર સુધી તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા બાદ તેમની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં કોંગ્રેસના 20 થી વધુ ધારાસભ્યો સહિત અનેક લોકો જોડાયા હતા. આ તકે શહેરની બજારો સ્વયંભૂ બંધ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ધીરૂભાઇનો જન્મ 4/9/1944ના રોજ થયો હતો. અને તેઓ શહેરમાં ધીરૂ ભગતના હુલામણા નામથી ઓળખાતા હતા. તેઓ અમરેલી જિલ્લા સહકારી બેંકમાં નોકરી કરતા હતા. અને વર્ષ 2002માં નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે જીવન ગાળતા હતા. તેમને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે. જેમાં પરેશભાઇ, શરદભાઇ, અલ્કાબેન અને નિલાબેનનો સમાવેશ થાય છે.