ગુજરાત

ખાનગી વકીલ રોકો અને કોર્ટમાં જવાબ આપો, હાઈકોર્ટેના કડક વલણથી અધિકારીઓ ભરાયા

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે આરોપીઓને ગામમાં લાવી ગામલોકોની સામે આ અસામાજિક તત્વોની જેમ જાહેરમાં સરભરા કરી હતી. માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન આઠમની રાત્રે ગામના ૧૫૦ જેટલાનાં ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાની કડક તપાસ કરવા આદેશ મળતા પોલીસે ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ કરાયેલા આરોપીઓને ગામમાં લાવવામાં આવ્યા હતા. ગામની ભાગોળે જ્યાં આ કોમી છમકલું થયું હતું, ત્યાં ખેડા એલસીબી પીઆઇ અશોક.વી. પરમારે તમામ આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરી હતી. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે.

જાહેરમાં સરભરા મામલે હાઈકોર્ટ આજે પણ બગડી હતી. કોર્ટે નિર્દેશ કર્યો છે કે ખાનગી વકીલ રોકો અને કોર્ટમાં જવાબ આપો.સરકાર તમને મદદ નહીં કરે, આરોપીઓને જાહેરમાં માર મારવા બદલ પોલીસ સામે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેમાં માર મારનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ન થઈ હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. તમામ અધિકારી પર ગેરકાયદે ગોંધી રાખવા તથા માર મારવા મામલે અરજી થઈ છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે સમગ્ર મામલે આરોપીઓ તરફ પક્ષ રજૂ ના કરો. આ કેસની વધુ સુનાવણી ૩૦ જાન્યુઆરીના રોજ યોજાશે.
પોલીસ આરોપીઓને ઝડપીને ગામમાં પહોંચી હતી. ત્યારબાદ ગામ લોકોની સામે પોલીસે એક બાદ એક આરોપીઓને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ જાવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના મારથી ડરેલા આરોપીઓએ પણ હાથ જાડીને લોકોની માફી માંગી હતી. તમામ ૧૦ આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરતા ગ્રામજનોએ પણ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ખેડાના એસપી રાજેશ ગઢિયા પ્રમાણે જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં સોમવારે રાત્રે તુલજા માંના મંદિર પાસે ગામના સરપંચ ઇંદ્રવદન પટેલે ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં અસામાજિક તત્વો બળજબરીથી ઘુસી ગયા અને હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક હોમગાર્ડ સહિત ૬-૭ મહિલાઓને ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનામાં પોલીસે ૪૩ લોકો વિરુદ્ધ નામ જાગ ગુનો દાખલ કર્યો છે. ત્યારબાદ જ્યારે ૧૦થી ૧૧ લોકોની અટકાયત કરીને આરોપીને ઊંઢેલા ગામે લવાયા હતા. જ્યાં પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઆૅને જાહેરમાં કાયદાના પાઠ ભણાવ્યા હતા.અરજીકર્તાએ માગણી કરી છે કે કોર્ટ એસપી ખેડાને મૂળ ડીવીઆર, એસઓજી કાર્યાલયના કેમેરા, ટોલ પ્લાઝા સહિત રસ્તામાં લાગેલા બધા સીસીટીવી કેમેરાને ઝડપી જપ્ત કરવાની સૂચના આપે. અરજી કર્તાએ જણાવ્યું હું કે ૩ ઓક્ટોબરની રાત્રે ૧૧ વાગ્યે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઘેલા ગામમાં માતર ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી અને તેમના પક્ષના સભ્યા આવ્યા બાદ વિવાદ શરુ થયો હતો. ત્યારબાદ ૧૧ પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને અરજી કર્તા સહિત અન્ય વ્યÂક્તઓની અટકાયત કરી હતી. આ કેસમાં હવે હાઈકોર્ટ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. હવે સરકાર પણ બચાવ કરી શકે તેવી Âસ્થતિમાં નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *