ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ટૂંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવનાર છે. ગુજરાતની ઈ-એસેમ્બલીનું લૉન્ચિંગ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરશે. આગામી 12 સપ્ટેમ્બરથી 15મી ગુજરાત વિધાનસભાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. રાષ્ટ્રપતિ મુર્મૂ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરશે. તેમજ, 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ની ઇ વિધાનસભાનું લોકાર્પણ પણ કરશે.

આ અંગે વિધાનસભાના સચિવ ડી.એમ પટેલે જણાવ્યું કે, આગામી 13 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મૂ ગુજરાતની ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે. આ દિવસે રાષ્ટ્રપતિ ગુજરાતના ધારાસભ્યોને સંબોધિત પણ કરશે. ગુજરાત વિધાનસભાના નિમંત્રણથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવી રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે. 15મી વિધાનસભાનુ પ્રથમ ચોમાસુ સત્ર ડિજિટલ e-વિધાન સત્રનો આરંભ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ 12મી સપ્ટેમ્બરને સવારે કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x