ગુજરાતરાષ્ટ્રીય

દિલ્હીના રામલીલા મેદાનમાં લાખો કર્મચારીઓનુ જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

દિલ્હી :

જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દેશભરના સરકારી કર્મચારીઓ ભેગા થયા છે. 1 ઓક્ટોબર સવારથી જ સરકારી કર્મચારીઓથી રામલીલા મેદાન ભરાઇ ગયું છે. દિલ્હી પોલીસે મેદાનમાં ટેન્ટ લગાવવાની મંજૂરી આપી નહતી તેમ છતા કર્મચારીઓની ભારે ભીડ જોવા મળી હતી. જુની પેન્શન યોજના લાગુ ના થતા શિક્ષક, કર્મચારી અને અધિકારીઓમાં ભારે રોષ છે. એટલે સતત ખાનગીકરણ ભારત છોડો અભિયાન ચલાવી રહ્યું છે. રામલીલા મેદાનમાં લાખો કર્મચારી સામેલ થયા છે અને રેલીના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુની પેન્શન યોજના લાગુ કરવા અને ખાનગીકરણ સમાપ્ત કરવાની માંગ કરવામાં આવશે.

આજે નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (NMOPS)ના બેનર હેઠળ દેશભરના લાખો કર્મચારીઓ દિલ્હી પહોંચી ગયા છે. આ રેલી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં યોજાઇ રહી છે. આ રેલીને પેન્શન શંખનાદ મહારેલી નામ આપવામાં આવ્યું છે. આ રેલીને દેશના ખેડૂતો અને અન્ય મજૂર સંગઠનો પણ પોતાનું સમર્થન આપ્યું છે.

દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે દરેક રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ ભેગા થયા હતા. રામલીલા મેદાનમાં નવી પેન્શન યોજના અને ફિક્સ પગાર નીતિ કેટલી નુકશાનકારક અને શોષીત છે તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી હતી કે કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x