રાષ્ટ્રીય

બહુજન સમાજ પાર્ટીએ સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

બહુજન સમાજ પાર્ટીએ અમરોહાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી છે. અમરોહાના સાંસદ દાનિશ અલી હાલમાં જ સમાચારોમાં હતા. દિલ્હી બીજેપી સાંસદ રમેશ બિધુરીએ સંસદમાં દાનિશ અલી પર વાંધાજનક ટીપ્પણી કરી હતી

અને તેની પર સંસદથી લઈને શેરીઓ સુધી ભારે હોબાળો થયો હતો. માયાવતીના આદેશ બાદ બસપાના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ એક પત્ર જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે 2018 પછી, દેવગૌડાજીની વિનંતી પર, દાનિશ અલીને 2019 ની સામાન્ય ચૂંટણીઓમાં અમરોહાથી બસપાની ટિકિટ આપવામાં આવી હતી.

બસપામાં સામેલ થવાની સાથે દાનિશ અલીને પાર્ટીના નિયમો અને સૂચનાઓથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા, પરંતુ તે પછી દાનિશ અલી સતત પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થયા હતા. દાનિશ અલીને આ અંગે ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તે અટક્યા ન હતા. આથી પાર્ટીએ તેમને બરખાસ્ત કર્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x