ગાંધીનગરગુજરાત

ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી અપાશે, મુખ્યમંત્રી પટેલનું વચન

રાજ્યમાં ઘણા સમયથી દિવસે વીજળીની માંગ રાજ્ય સરકારે સ્વીકારી છે અને ૨૦૨૪નું વર્ષ પુરું થતાં પહેલા દિવસે વીજળી આપવાનું જણાવ્યું છે. ગુજરાતમાં હાલ રવિ સીઝનના ટાણે ખેડુતોને રાતના સમયે વીજળી અપાતી હોવાથી ખેડુતોને બોર-કૂવામાંથી પાણી મેળવીને પાકને પાણી પીવડાવવા માટે આખીરાતના ઉજાગરા કરવા પડે છે. ખેડુતોએ દિવસે વીજ પુરવઠો આપવા માટે રાજ્ય સરકારને અનેક વખત રજુઆતો કરી હતી. ત્યારે રાજ્ય સરકારે ખેડુતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે.ગુજરાતના ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે. ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસના સમયે આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્થન આપ્યુ છે. અને એક જ વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે. અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી હતી.અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને વીજ પુરવઠો દિવસે દરમિયાન પણ મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે.રાજ્યના ખેડૂતોને રાતે ઉજાગરા કરી ખેડૂતોને પીયત નહીં કરવું પડે. તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે. ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે. અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસ દરમિયાન મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે. અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી અપાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x