રાષ્ટ્રીય

શ્રી રામ મંદિર,સીએમ યોગી અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપી STF ના વડા અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ચર્ચા છે.

ISI સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈ-મેલ દ્વારા આપી છે. જે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવી છે. આ મામલામાં લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x