ગુજરાત

આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવ આગાહી

ગુજરાત મુલાકાતના બીજા દિવસે PM મોદી મેરેથોન પ્રચાર કરશે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર સભા છે. વડાપ્રધાન મોદી વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે. આણંદ અને ખેડા બેઠકના ઉમેદવારો માટે તેઓ પ્રચાર કરશે. આણંદ બાદ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.ચરોતર અને સૌરાષ્ટ્રમાં આજે PM મોદી આજે પ્રચંડ પ્રચાર કરશે. આણંદ, વઠવાણ, જૂનાગઢ અને જામનગરમાં PM મોદી સભા સંબોધશે. ગઇકાલે ઉત્તર ગુજરાતથી PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતુ કે મહોબ્બતની દુકાન એ ખરેખર ફેક ફેક્ટરી છે. ગાંધીનગર કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે PM મોદીની મહત્વની બેઠક મળી. CM અને પાટીલ સહિતના નેતાઓની હાજરીમાં મિશન 26 મુદ્દે રણનીતિ ઘડાશે. લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં પ્રચારના અંતિમ તબક્કો છે. સુનિત કેજરીવાલ, અશોક ગહેલોત અને ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાની સભા છે અને માંડવિયા રોડ શો કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x