ahemdabad

અમદાવાદ SP રિંગ રોડ પર ફોર્ચુનર અને થાર કાર વચ્ચે અકસ્માત, 3નાં મોત

અમદાવાદના SP રિંગ રોડ પર વકીલ સાહેબ બ્રિજ પાસે વહેલી સવારે 5 વાગ્યે ફોર્ચુનર અને થાર કાર વચ્ચે એક્સિડન્ટ થયાની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોનાં મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. અમદાવાદના SP રિંગ રોડ પર વકીલ સાહેબ બ્રિજ પાસે વહેલી સવારે 5 વાગ્યે ફોર્ચુનર અને થાર કાર વચ્ચે એક્સિડન્ટ થયાની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોનાં મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ પોલીસે બંને કારની તપાસ કરતા ફોર્ચુનર કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. મહત્ત્વનું છે કે, પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, SP રિંગ રોડ પર બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે સવારે પાંચ વાગ્યે ફોર્ચુનર અને થારની ટક્કરે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોર્ચુનર કારમાં સવાર 2 અને થાર કારમાં સવાર 1 વ્યક્તિનું મોત થયું છે અને ઈજાગ્રસ્ત થયેલાં 6 લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને કારમાં તપાસ કરતાં ફોર્ચુનર કારમાંથી દારુની બોટલો મળી આવી હતી. આ પછી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x