મુખ્યમંત્રી પદેથી યોગી આદિત્યનાથ રાજીનામું આપે: શંકરાચાર્ય
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં Mahakumbhમાં થયેલી ધક્કામુક્કીમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાના યોગી સરકારે આંકડા જાહેર કર્યા હતા જ્યારે અન્ય રાજ્યોએ આ દુર્ઘટનામાં પોતાના નાગરિકોના મોતના આંકડા જાહેર કરતાં મૃત્યુઆંક 48 થયો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે બદ્રીનાથ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે નારાજગી વ્યક્ત કરતાં સરકાર પર માહિતી છૂપાવવાનો આરોપ લગાવ્યો છે અને શંકરાચાર્યએ યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી પદેથી રાજીનામાની માગ કરી હતી.