ગુજરાત

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મેન્ટેનન્સ માટે કરાઈ બંધ

અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા આગામી સમયમાં છ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય રોપ-વેના નિયમિત જાળવણી કાર્યક્રમના ભાગરૂપે લેવામાં આવ્યો છે. યાત્રિકોની સુરક્ષા અને રોપ-વેની સલામતી માટે નિયમિત જાળવણી જરૂરી છે. વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે. આ રોપ-વે સેવા આગામી ૩ માર્ચથી ૮ માર્ચ સુધી બંધ રહેશે. તારીખ ૯ માર્ચથી ગબ્બર પર્વત પર રોપ વેની સુવિધા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. ગબ્બર પર ચાલતા જવાના ૯૯૯ પગથિયા છે અને ઉતરવાના ૭૬૫ પગથિયા છે. આ જાળવણી કાર્યક્રમ વર્ષમાં બે વાર યોજવામાં આવે છે, જેથી યાત્રિકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. ભક્તો પગથિયા ચઢીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરી શકે છે. રોપ-વેની મેન્ટનેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આ માહિતી યાત્રિકોને તેમની યાત્રાનું આયોજન કરવામાં મદદરૂપ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x