વિશ્વ ચકલી દિવસ: વિના મૂલ્ય ચકલીના માળા, પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યું
20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિના મૂલ્ય ચકલીના માળા પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યું જેમાં માન્ય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી માજી ગૃહ મંત્રી ગુજરાત ના હસ્તે જીવ દયા ના કાર્યનો શુભારંભ કરાવવામાં આવ્યો અને જેમાં ગાંધીનગરની નેચર ફર્સ્ટ સંસ્થાનાં શ્રી માનનીય મહેન્દ્રભાઈ ત્રિવેદી માજી ગૃહ મંત્રી ગુજરાત અને નેચર ફસ્ટ સાથે જોડાયેલા દરેક કાર્યકર્તાઓ અને વેસ્ટન સીડ નાં શ્રી એન પી પટેલ, EcDc Trust શ્રી રજનીશભાઈ પટેલ, એસ એન પટેલ, અલ્પેશભાઈ પટેલ, ચાંદની બેન પટેલ, શ્રી જયશ્રીબેન ખેતિયા સામાજિક કાર્યકર્તા, સૂઘડ પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થા વિનય ભાઈ ત્રિવેદી પ્રિયાબેન, એડીએસ ફાઉન્ડેશન અડાલજ શ્રી પવન કૌશલ, રેડ કોર્સ જીલુભા ધાંધલ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ કલોલ શ્રી અતુલભાઇ પટેલ, ફેમીનાં ક્લબ શ્રી દક્ષાબેન, સેક્ટર 28 ઓમ શાંતિ પરિવાર સાથે કૈલાશ દીદી, સેક્ટર એક ગાયત્રી પરિવાર, નીપા પ્રોડક્શન હાઉસ, મધુરમ ફાઉન્ડેશન શ્રી મધુબેન પ્રજાપતિ, ગીરીશભાઈ પટેલ ગોતા, સમાજસેવક શ્રી વીણાબા, વિશ્વ કલ્યાણ મિશન શ્રી અક્ષયભાઈ ઠક્કર, વન શ્રી ટ્રસ્ટ શ્રી અંજનાબેન, અને જીવ દયા પ્રેમી પ્રકૃતિ પ્રેમી અને રાષ્ટ્રપ્રેમી અને ધાર્મિક સંસ્થાઓ નાં પદાધિકારીઓ અને સ્વયંસેકો સાથે મળીને ચકલી ઘર, પાણી ના કુંડા, બર્ડ ફીડર જેવી વસ્તુઓનું વિનામૂલ્ય વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિઓનો ખુબ ખુબ આભાર ધન્યવાદ.
સ્થળ = જુના સચિવાલય પાસે, જિલ્લા પંચાયત ઓફિસની સામે, બસ સ્ટેન્ડ પોઇન્ટ. ગાંધીનગર.
#Sparrow
#SaveSparrow
#ecdctrust
🦜🦚【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🦜🦚
ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,
મીઠા મધુરા ગીત ગાતી ચકલી,
હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી.
હર પલ યાદો માં રહેતી ચકલી,
હું નાની બકુડી ચકલી,
મારું જીવન સંકટ માં છે.
હે માનવ મારી મદદ કરો,
હે માનવ મારી રક્ષા કરો.
એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી.નહની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે.પરંતુ આજે આપણે ચકલીઓ ના આશિયાના ને ઉજાળી દીધા છે અથવા એમ કહીએ કે માનવ જાત ને ચકલી ની કોઈ ફીક્ર જ નથી રહી આપણા જેમ આ ચકલી ઓ ના પણ ઘર હોય છે. આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે પરંતુ લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા Environment Care & Development Charitable Trust દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં આપણે ચકલી માટે ઘરની વ્યવસ્થા કરીએ આપણા ઘરની અગાસીમાં, કાર પાર્કીંગની જગ્યાએ અથવા પતરાંના છેડ નીચે આપણા ઘરમાં ખાલી ચંપલ ના બોક્ષ અથવા પૂંઠાના બોક્ષને સેલોટેપ લપેટીને તારથી બાંધી દેવું જયા કાગડા, સાપ, બિલાડી જેવા પરભક્ષીથી ચકલી અને તેના બચ્યાનું રક્ષણ કરી શકાય. ચકલી અને પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ઘર આપો.
🦜🏛️【ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન】🏛️🦜
ચકલી એક એવું પક્ષી છે જેને જોઈ ને આપણે બધા મોટા થયા છીએ. ઘર ના આગણામાં સવાર થી સાંજ સુધી ચી ચી કરતી હતી. આ ચકલી જેને જોઈને આપણું બચપણ વીત્યું તે આજે મુશ્કેલીથી જોઇ શકાય છે. ક્યાં ગાયબ થઇ ગઇ આ સ્ફૂર્તિલી ચકલી ? શું ચકલી ના ગાયબ થવા માં આપણે માણસો જવાબદાર છીએ ? પૌરાણિક માન્યતા ને આધારે ચકલી એક શુભ પક્ષી છે જે ઘર આંગણે ચકલી ચહ ચહાતી રહે ત્યાં સુખ સમૃધ્ધિ અને શાંતિ બની રહે છે. આવો આપણે સાથે મળીને ચકલી માનવ જીવન અને ખેડૂતો અને પર્યાવરણ માટે શુ ઉપયોગી છે એના વિશે ગહન અધ્યન કરીએ. 20 માર્ચ ના દિવસ ને વિશ્વ ચકલી (ગૌરેયા) દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી કરીને લોકો આ પક્ષી ના બચાવ માટે જાગૃત થઈ શકે.
🌳🦜🙏【પર્યાવરણ બચાવો】🙏🦜🌳
આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ. વૃક્ષો વાવો જીવન બચાવો.