રાષ્ટ્રીયવેપાર

UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે નહીં, સરકારનું સ્પષ્ટીકરણ

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એ દાવાને સરકારે નકારી કાઢ્યો છે કે હવે રૂ. 2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે. નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ દાવા તદ્દન ખોટા અને ભ્રામક છે. હાલમાં સરકાર સમક્ષ આવો કોઈ પ્રસ્તાવ નથી. મંત્રાલયે ઉમેર્યું કે GST માત્ર અમુક ચુકવણીઓ પરના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચાર્જ પર લાગે છે. UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ MDR વસૂલવામાં આવતો નથી, તેથી તેના પર GST લાગુ થતો નથી. સરકારે UPI દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x