રમતગમત

હરભજન સિંહના વિવાદાસ્પદ નિવેદનથી ક્રિકેટ ચાહકોમાં ખળભળાટ

નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે તાજેતરમાં કરેલા એક નિવેદનને પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે વિવાદ સર્જાયો છે. 17 મેના રોજ રમાયેલી RCB અને KKRની મેચમાં કોમેન્ટ્રી દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું હતું કે માત્ર મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો જ સાચા ચાહકો છે, જ્યારે અન્ય ટીમોના સમર્થકોને તેમણે પૈસાથી ખરીદેલા ગણાવ્યા હતા.

હરભજનના આ નિવેદનથી ક્રિકેટ ચાહકો બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. ઘણા લોકોએ તેમના આ નિવેદનને અયોગ્ય અને અન્ય ખેલાડીઓનું અપમાન ગણાવ્યું છે, જ્યારે કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ બોલી રહ્યા છે. કોમેન્ટ્રી દરમિયાન હરભજને ધોનીને રમવાનું ચાલુ રાખવાની અપીલ પણ કરી હતી, જેના કારણે એવી અટકળો તેજ થઈ છે કે કદાચ તેમણે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પર કટાક્ષ કર્યો હોઈ શકે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર હરભજનના આ નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે અને ઘણા ચાહકો તેમની ટીકા કરી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *