ગાંધીનગર

ગાંધીનગરમાં 23 મેના રોજ રોજગાર મેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ રોજગાર ભરતીમેળા અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 23 મે, 2025ના રોજ સવારે 10:00 કલાકે ડી.આર.સી. શિક્ષણ અને તાલીમ કેન્દ્ર, પ્રેસિડન્ટ કોલેજ ઓફ એજ્યુકેશન, ગોપાલ નગર રોડ, પંચવટી, અંબિકા નગર, કલોલ, ગાંધીનગર ખાતે યોજાશે.

આ ભરતી મેળામાં ગાંધીનગર જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં 18 થી 35 વર્ષની ઉંમરના ધો.10 પાસ, ધો.12 પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ) અને કોઈપણ સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે.

ઈચ્છુક ઉમેદવારો અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઈ.ડી JF581498998 છે.

ભરતીમેળામાં ભાગ લેવા આવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે.

જે ઉમેદવારો રોજગાર કચેરીમાં નવી નોંધણી કરાવવા ઈચ્છે છે, તેમણે પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી., લાગુ પડતી જાતિ અંગેનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવું, તેમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

આ ભરતીમેળો યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં મદદરૂપ થશે. તમે આ ભરતીમેળામાં ભાગ લેવાનું વિચારી રહ્યા છો?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x