ગાંધીનગર

પાલજમાં દંપતીને ધમકી અને હુમલો: પોલીસ ફરિયાદ દાખલ, તપાસ શરૂ

ગાંધીનગર: ગાંધીનગર પાસેના પાલજ ગામમાં એક અજીબ ઘટના બની છે જ્યાં લગ્નનું આમંત્રણ આપવા ગયેલા દંપતીને માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. ચિલોડા પોલીસે આ સંદર્ભે પિતા અને પુત્રી સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદના કોતરપુરથી આવેલા કેસરબેન મહેશભાઈ રાવળ અને તેમના પતિ શુક્રવારે પાલજમાં તેમના માસીના ઘરે ગયા હતા. આ દરમિયાન, માસીના દિયર રામાભાઈ કેશાભાઈ રાવળ અને તેમની પુત્રી ટીકીબેન રાવળ ત્યાં આવી પહોંચ્યા. અગાઉની પોલીસ ફરિયાદના મામલે ઉગ્ર બોલાચાલી થઈ. રામાભાઈએ દંપતીને પાલજમાં ન આવવાની ધમકી આપી અને ગાળો ભાંડી. ટીકીબેને કેસરબેનને લાફો મારતા મામલો વધુ બિચક્યો. આસપાસના લોકોએ દરમિયાનગીરી કરીને તેમને રોક્યા, પરંતુ જતા પહેલા રામાભાઈએ દંપતીને પાલજમાં ફરી દેખાશે તો જીવતા નહીં છોડવાની ધમકી આપી. આ ઘટનાને પગલે ચિલોડા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *