ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: બોઇંગ ૭૮૭ ડ્રીમલાઈનરમાં ખામીના પુરાવા નથી – US પરિવહન સચિવ

અમદાવાદ: ગઈકાલે અમદાવાદમાં થયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતા અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ આજે જણાવ્યું હતું કે, બોઇંગ ૭૮૭ ડ્રીમલાઈનર એરક્રાફ્ટમાં હાલ કોઈ ખામીના પુરાવા મળ્યા નથી. આથી, તેની ફ્લાઇટ્સ પર હાલ કોઈ પ્રતિબંધો લાદવામાં આવશે નહીં.

ગુરુવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સીન ડફી અને એક્ટિંગ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ચીફ ક્રિસ રોશેલે જણાવ્યું કે, તેમનું નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) આ દુર્ઘટનાની તપાસમાં ભારતને તમામ જરૂરી સહયોગ આપશે. ડફીએ ઉમેર્યું કે, “અમે આ દુર્ઘટના સાથે જોડાયેલા વીડિયો ક્લિપ્સ જોયા છે, પરંતુ હજી સુધી એવી કોઈ ટેક્નિકલ કે સિક્યોરિટી ખામીનો ડેટા મળ્યો નથી જેનાથી સાબિત થઈ શકે કે વિમાન મોડેલમાં કોઈ ખામી છે.”

તેમણે ખાતરી આપી કે NTSB, FAA, બોઇંગ અને એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. તેઓ બોઇંગ અને જીઈ સાથે ઉપલબ્ધ ડેટાની સમીક્ષા કરી રહ્યા છે અને સલામતીને પ્રથમ સ્થાન આપીને કોઈપણ ભલામણોનો અમલ કરવામાં અચકાશે નહીં. FAA પેસેન્જર વિમાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારતને વધારાના ડેટા મોકલવાની પણ તૈયારી કરી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *