સી.એમ.પટેલ કોલેજ ઓફ નર્સિગ દ્વારા યોગ સંવાદ
સી.એમ.પટેલ કોલેજ ઓફ નર્સિગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંયુકત ઉપક્રમે અગિયારમા આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણી યોગ સંવાદ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કો ઓર્ડીનેટર શ્રી મૌલિકભાઈ બારોટ દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ અને યોગ કરવાથી થતા ફાયદા તથા યોગિક્ દિન ચર્યા, આહાર વિહાર, આયુર્વેદ અને મેડિકલ સાયંસ અને યોગ આયુર્વેદના સમન્વયથી સ્વસ્થ સમાજ નિર્માણ કાર્ય કેવી રીતે સંભવિત છે તેની વિશેષ સમજ આપવામાં આવી. ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ પર આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વાઇસ પ્રિન્સિપાલશ્રી ભાવિશાબેન પટેલ દ્વારા શ્રી મૌલિકભાઈ બારોટનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ યોગ સંવાદ કાર્યક્રમનું સંચાલન દૃષ્ટિ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. કોલેજના અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી આ યોગ સંવાદમાં જોડાયા. અને સાચા અર્થમાં આંતર રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી .