આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારતનો ઐતિહાસિક દિવસ: ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ISS યાત્રા કરનાર પ્રથમ ભારતીય બનશે, આજે લોન્ચિંગ

નવી દિલ્હી: ભારત માટે આજનો દિવસ અવકાશ સંશોધનમાં નવો ઇતિહાસ રચવાનો છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની યાત્રા કરનાર પ્રથમ ભારતીય બનશે. તેઓ 1984માં રાકેશ શર્મા બાદ અવકાશમાં પહોંચનાર બીજા ભારતીય હશે. Axiom-4 મિશન આજે બપોરે 12:01 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.

આ મિશન ખાનગી કંપની Axiom Space, NASA, ISRO અને યુરોપિયન સ્પેસ એજન્સીના સહયોગથી સંચાલિત છે. ભારતીય મૂળના શુભાંશુ શુક્લા આ મિશનના પાયલટ છે. તેમની સાથે પેગી વ્હિટસનના નેતૃત્વમાં પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ પણ સામેલ છે. આ મિશનમાં Space X ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ થશે. લોન્ચ થયાના 28 કલાક બાદ ગુરુવારે સાંજે 4:30 કલાકે સ્પેસક્રાફ્ટ ISS સાથે ડોક થશે.

આ મિશન અગાઉ સાત વખત સ્થગિત થયું હતું, જેના મુખ્ય કારણોમાં ફાલ્કન 9 રોકેટમાં લિક્વિડ ઓક્સિજન લીક અને ISSના ઝવેઝદા (Zvezda) મોડ્યૂલમાં દબાણની સમસ્યા હતી. જોકે, હવે આ સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોવાથી મિશન આજે ઉડાન ભરશે. ચાર સભ્યોની ટીમ 14 દિવસ સુધી ISS પર રહેશે અને 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે, જેમાં ISROના સાત પ્રયોગોનો સમાવેશ થાય છે. લોન્ચિંગ પહેલાં શુભાંશુએ જણાવ્યું હતું કે, “આ મિશન ભારત માટે ગૌરવની ક્ષણ છે. હું દેશવાસીઓને આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું.” તેમનો આ અનુભવ ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *