ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું વાતાવરણ

અમદાવાદ: આજે અષાઢી બીજ, એટલે કે ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળી રહી છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીની ૧૪૮મી રથયાત્રા ભાવિક ભક્તોના હર્ષોલ્લાસ અને ‘જય રણછોડ, માખણચોર’ના જયઘોષ સાથે નગરચર્યાએ નીકળી છે.

ચોમેર ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ પોલીસતંત્ર દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તમામ જરૂરી બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રખાયું છે. ભગવાન જગન્નાથજીએ આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કરતા, તેમના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *