રાષ્ટ્રીય

તેલંગાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ: ૧૦ના મોતની આશંકા, ૧૫-૨૦ ઘાયલ

હૈદરાબાદ: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં આવેલા પાટનચેરુ મંડળની સિગાચી ફાર્મા કંપનીમાં આજે સવારે ૭ વાગ્યે રિએક્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં ૧૦ શ્રમિકોના મોતની આશંકા છે, જ્યારે ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

વિસ્ફોટના સમાચાર મળતા જ ૧૧ ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. હાલ પણ ઘણા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *