ગાંધીનગર

ગાંધીનગરમાં તંત્રની બેદરકારીનો ભોગ: ખુલ્લા ખાડામાં પડી જતાં ૭ વર્ષના બાળકનું કરુણ મોત

ગાંધીનગર: અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ તંત્રની બેદરકારીના કારણે એક માસૂમ જીવનો ભોગ લેવાયો છે. ગાંધીનગરના સેક્ટર-૧ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં પડી જવાથી ૭ વર્ષના કુલદીપ નામના બાળકનું કરુણ મોત નિપજ્યું છે. આ ઘટના મંગળવારે (૭ જુલાઈ) સામે આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે. મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે (૩૦ જૂન) કુલદીપ સાઇકલ ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે વરસાદી પાણી ભરાયેલા અને બેરિકેડિંગ વગરના આ ખાડામાં અકસ્માતે પડી ગયો. આખી રાત શોધખોળ બાદ વહેલી સવારે સ્થાનિકો દ્વારા બાળકના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી તંત્રની ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *