ગુજરાત

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો શરૂ: લાખો પદયાત્રીઓના સ્વાગત માટે તંત્ર સજ્જ

અંબાજી: શક્તિપીઠ Ambaji ખાતે દર વર્ષે યોજાતો Bhadarvi Poonam મહામેળો આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાવા જઈ રહ્યો છે. 1 થી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા આ Mahamela માટે બનાસકાંઠા વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.  ‘આસ્થા તમારી, વ્યવસ્થા અમારી’ના મંત્ર સાથે લાખો પદયાત્રીઓને આવકારવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Gujarat વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા, 4 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ અને 35 સ્થળોએ વાહનોના પાર્કિંગની વિશેષ સુવિધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ વખતે મેળામાં 28 પ્રસાદ કેન્દ્રો પરથી 30 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવશે.

યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મેળામાં 5000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે અને 332થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે. આ તૈયારીઓ દર્શાવે છે કે, વહીવટી તંત્ર ભક્તોની સુવિધા અને સલામતી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *