ahemdabadગુજરાત

નવરાત્રિ પહેલા ગુજરાતમાં ચોમાસાની વિદાય, ખેલૈયાઓ માટે ખુશખબર!

ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે, અને ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી એક સપ્તાહમાં ગુજરાતમાંથી ચોમાસું ધીમે-ધીમે વિદાય લઈ શકે છે. હાલના સમયમાં હવામાનની સ્થિતિ સામાન્ય છે, પરંતુ ચોમાસાના અંતે હવામાનમાં થોડો ફેરફાર થઈ શકે છે. આનો અર્થ એ થયો કે 25 સપ્ટેમ્બર પહેલા ચોમાસું ગુજરાત છોડી શકે છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 17 સપ્ટેમ્બર સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાંથી ચોમાસું પાછું ખેંચાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય સૌથી પહેલા કચ્છથી શરૂ થશે અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું જશે. આનાથી નવરાત્રિ દરમિયાન હવામાન સાફ અને ખેલૈયાઓ માટે અનુકૂળ રહેવાની શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *