રમતગમત

ઑસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વનડે અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે શનિવારે (૪ ઓક્ટોબર) પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતમાં સૌથી મોટો નિર્ણય એ લેવાયો છે કે, યુવા બેટ્સમેન શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને વનડે ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં યોજાયેલી પસંદગીકારોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બંને ફોર્મેટ માટે ટીમની જાહેરાત

ટીમ ઇન્ડિયા (વનડે ટીમ):

શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.

ટીમ ઇન્ડિયા (T20 ટીમ):

સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *