ગુજરાત

અંબાજી : ત્રિશુળીયા ઘાટ નજીક સર્જાયો અકસ્માત, 10 લોકોના મોત, 15 લોકો દટાયા હોવાની શંકા.

અંબાજી :

નવરાત્રિના પાવન પર્વનું શરૂઆત થઇ ચુકી છે. ગુજરાતમાં આવેલી શક્તિપીઠો પર ભક્તોનું ઘોડાપુર જોવા માટે મળી રહ્યું છે. આ વચ્ચે અંબાજી ખાતે આવેલા ત્રિશુળીયા ઘાટ ખાતે અકસ્માત સર્જાયો છે. ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી લક્ઝરી બસ,ડમ્પર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં આશરે 10 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, 15થી વધુ લોકો દટાયા હોવાની શક્યતા રહેલી છે,હજુ પણ આંકડો મોટો થાય તેવી સંભાવના રહેલી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x