ગાંધીનગર

ગાંધીનગરના ડૉ. ઑબેડકર હૉલ ખાતે સામાજિક સમરસતા શિબિર યોજાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ અને હિન્દી દલિત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જીલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિર યોજાઈ, આજની સામાજિક સમરસતા શિબિરની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે બાબાસાહેબની છબીને ફુલહાર અપૅણ કરી દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે હિન્દી દલિત સાહિત્ય અકાદમી ગાંધીનગરના પ્રમુખશ્રી ડૉ.નરસિંહદાસ‌ વણકરે ઉપસ્થિત મહાનુભાવો પરિચય આપ્યો હતો અને સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ ત્યારબાદ સંસ્થાના હોદેદારો દ્વારા મહેમાનોનુ પુષ્પગુચ્છ આપીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આજની શિબિરમાં અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગરના નાયબ નિયામકશ્રી ડૉ.ધનશ્યામ વાધેલા, જીલ્લા પંચાયત ગાંધીનગરના સમાજ કલ્યાણ અધિકારી સુધાબેન બારોટ, સમાજ કલ્યાણ અધિકારી ડૉ બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ગાંધીનગરના રેણુકાબેન ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

શિબિર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રમુખ ડૉ બાબાસાહેબ આંબેડકર રીસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ સોસીયલ સાયન્સ (બારીશ)ના શ્રી બાલકૃષ્ણ આનંદે પોતાના ઉદબોધનમાં સાંપ્રત સમયમાં સામાજિક સુરક્ષા સંદર્ભે લોકશાહીના ચોથા સ્તંભ ગણાતા ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાની ભુમિકા પર વિશેષ ભાર મુકતાં સામાજિક સમરસતા સ્થાપવામાં કાયદો અને વ્યવસ્થા, સરકારી વહીવટી તંત્રની સાથે સાથે પત્રકારોની કામગીરી મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. અનુસૂચિત જાતિ કલ્યાણના નિવૃત્ત નાયબ નિયામકશ્રી પી બી શ્રીમાળીએ અનુસુચિત જાતિના લોકો માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. ડૉ બાબાસાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ મેનેજીંગ ડિરેક્ટરશ્રી ડૉ હસમુખભાઈ પરમારે પોતાના ઉઉદબોધનમાં એટ્રોસીટી એકટ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી અને એના અસરકારક અમલમાં સરકારી તંત્રની ઉદાસીનતા મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં આપણા હક્ક અને અધિકારો માટે સમાજના સક્ષમ લોકોએ જાગૃત રહેવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે હિન્દી દલિત સાહિત્ય અકાદમીના ડૉ કે કે વૈષ્ણવ, ડૉ. કે.બી.ચૌહાણ, ગાધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન ગુણવંતભાઈ સુતરિયા, જીલ્લા પંચાયત સદસ્ય હસમુખભાઈ તીરગર, મહિલા કાયૅકર શમિષ્ઠાબેન ચૌહાણ, જયંતભાઈ ચૌહાણ, નિવૃત્ત માહિતી અધિકારી નટુભાઈ પરમાર, ભાનુપ્રસાદ દવે, કબીર એવૉડૅ વિજેતા ડૉ. ગુલાબચંદ પટેલ,નિવૃત્ત ટીડીઓ નવીનભાઈ પરમાર સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયૅક્રમને અંતે સૌ શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સંયોજકશ્રી એડવોકેટ કે. આઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *