ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબનું નવુ માળખું રચાયું
ગાંધીનગર: ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબ (GAPC) ની એક અત્યંત મહત્વની બેઠક આજે શનિવાર, ૨૮ માર્ચ ૨૦૨૬ ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પત્રકારોના હિત અને સંગઠનની મજબૂતી માટે ચર્ચા-વિચારણા કર્યા બાદ વર્ષ ૨૦૨૬ માટે ક્લબના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઠરાવ નંબર ૨ અન્વયે જાહેર કરાયેલા આ નવા માળખામાં અનુભવી અને સક્રિય પત્રકારોને સ્થાન આપવામાં આવ્યું છે.
નવા હોદ્દેદારોની ટીમ:
પ્રેસ ક્લબના પ્રમુખ તરીકે અશ્વિન કે. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જતીન એસ. શુકલ જવાબદારી સંભાળશે. સંગઠનના વહીવટી કાર્યો માટે મહામંત્રી પદે નયનાબેન એમ. દોશી અને મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ એચ. ચાવડાની પસંદગી કરાઈ છે. સંગઠનને મજબૂત કરવા માટે સંગઠન મંત્રી તરીકે જીતેન્દ્ર આર. પટેલ અને નાણાકીય વ્યવહાર માટે ખજાનચી તરીકે પંકજ આહિરની વરણી કરવામાં આવી છે.

સલાહકાર અને કારોબારી સમિતિની રચના:
સંગઠનને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી વરિષ્ઠ પત્રકાર સતિષભાઈ જે. પાઠક અને વિપુલભાઈ એ. બ્રહ્મભટ્ટનો સલાહકાર સમિતિમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ૯ સભ્યોની મજબૂત કારોબારી સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેમાં બિરેનભાઈ ડી. પટેલ, હાર્દિકભાઈ બી. વ્યાસ, રાજુભાઈ જી. જોશી, પન્કેશભાઈ કે, જાની, હરેશભાઈ બી. સિસારા, શૈલેન્દ્રભાઈ વી. સોલંકી, રોહિતભાઈ નાયાણી, મુકેશભાઈ પંડ્યા અને મયુરભાઈ જી. પટેલનો સમાવેશ થાય છે.
મીડિયા કન્વીનરની નિમણૂક:
ક્લબની પ્રવૃત્તિઓને પ્રેસ અને અન્ય માધ્યમો સુધી પહોંચાડવા માટે મીડિયા કન્વીનર તરીકે હાર્દિકભાઈ બી. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. આ નવી નિમણૂકોને પત્રકાર જગત દ્વારા આવકારવામાં આવી છે. નવા નિમાયેલા તમામ હોદ્દેદારોએ ગાંધીનગરના પત્રકારોના પ્રશ્નો અને ઉત્કર્ષ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

